Daily Darshan 2
જેને ધ્યાન, ધારણા, સમાધિનું અંગ હોય તેને એની એ મૂર્તિ છે તે જ કોટી કોટી સૂર્યના પ્રકાશે યુક્ત દેખાય છે. પણ મશાલ-દીવાનું કામ પડતું નથી અને એવો પ્રકાશ એ ભગવાનને વિષે છે ને તે નથી દેખાતો તે તો એ ભગવાનની એવી ઇચ્છા છે અને એ ભગવાન ઇચ્છે જે, એવો પ્રકાશમાન હું આ ભક્તને દેખાઉં તો તે પ્રકાશે યુક્ત એવી એ જ મૂર્તિને દેખે છે. (લો. ૧૮)