Daily Darshan 2
જેને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતવન કરતે થકે દેહ પડ્યો તેને કોટી કલ્પે દુઃખનો અંત આવતો નથી, માટે આવો અવસર આવ્યો છે તેને પામીને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતવન મૂકીને એક ભગવાનના સ્વરૂપનું જ ચિંતવન કરવું. અને જો ભગવાનના સ્વરૂપનું ચિંતવન થઈ ન શકે તો પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તેણે યુક્ત એવા જે સાધુ તેને મધ્યે પડી રહેવું. (મ. ૪૮)