
Daily Darshan 2
જીવનું જે કલ્યાણ થાય અને જીવ માયાને તરીને બ્રહ્મસ્વરૂપ થાય તેનું કારણ તો પુરુષોત્તમ એવા શ્રી વાસુદેવ ભગવાન તેના પ્રત્યક્ષ સ્વરૂપનું ધ્યાન, સ્મરણ, કીર્તન, કથા એ જ છે ને એણે કરીને જ એ જીવ છે તે માયાને તરે છે અને અતિ મોટાઈને પામે છે અને ભગવાનનું જે અક્ષરધામ તેને પામે છે. (મ. ૩૨)