Daily Darshan 2
જેનો દૃઢ સત્સંગ હોય તેને ગમે તેવાં દુઃખ આવી પડે તથા ગમે તેટલું સત્સંગમાં અપમાન થાય પણ તેનું કોઈ રીતે સત્સંગમાંથી મન પાછું હઠે નહિ. એવા જે દૃઢ સત્સંગી વૈષ્ણવ છે તે જ અમારે તો સગાંવહાલાં છે, ને તે જ અમારી નાત છે, ને આ દેહે કરીને પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે. (છે. ૨૧)