Daily Darshan 2
જે ભગવાન આ બ્રહ્માંડને વિષે વિરાજે છે તે જ ભગવાન સર્વના સ્વામી છે ને અનંત કોટી બ્રહ્માંડને વિષે અસંખ્ય જીવોના કલ્યાણને અર્થે બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે ભગવાન પોતે દેહને ધારણ કરે છે તેને શરણે અસંખ્ય જીવ થાય છે, તેણે કરીને અક્ષરધામમાં શ્રી પુરુષોત્તમના ચરણારવિંદને ઘણાક જીવ પામે છે. (અ. ૫)