Daily Darshan 2
ગમે તેવો નિર્ગુણ હોય ને આત્મસત્તારૂપે રહેતો હોય ને જો તેને ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય તો તેને જરૂર અંતરમાં દુઃખ થાય, માટે મોટા પુરુષની બાંધેલ જે મર્યાદા તેને લોપીને કોઈ સુખી થાતો નથી, માટે જેટલા ત્યાગી છે તેને તો ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તવું અને જેટલા ગૃહસ્થ હરિભક્ત છે તેમણે ગૃહસ્થના ધર્મ પ્રમાણે વર્તવું અને જેટલી બાઈઓ હરિભક્ત છે તેને બાઈઓના ધર્મ પ્રમાણે વર્તવું. (મ. ૫૧)