Daily Darshan 2
આ સર્વે જગતના કર્તા-હર્તા ભગવાન છે તેને કર્તા-હર્તા ન સમજીએ ને વિશ્વના કર્તા-હર્તા કાળને જાણીએ, અથવા માયાને જાણીએ, અથવા કર્મને જાણીએ, અથવા સ્વભાવને જાણીએ, એ તો ભગવાનનો દ્રોહ છે, કેમ જે ભગવાન સર્વના કર્તા-હર્તા છે, તેનો ત્યાગ કરીને કેવળ, કાળ, કર્મ, સ્વભાવ ને માયા તેને જગતના કર્તા-હર્તા કહે છે, માટે એ ભગવાનનો અતિ દ્રોહ છે. (વ. ૨)