Daily Darshan 2
પરિપક્વ ભગવાનનો ભક્ત હોય તેણે તો ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો છે, માટે તેને તો પરમેશ્વર વિના બીજું સર્વે તુચ્છ જણાણું છે તે સારુ કોઈ પદાર્થમાં તે મોહ પામતો નથી; માટે આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને ભગવાનને વિષે ભક્તિ એ ત્રણેય ભેળાં હોય ત્યારે કોઈ જાતની ખોટ ન કહેવાય અને એવો જે હોય તે તો ભગવાનનો જ્ઞાની ભક્ત કહેવાય, એકાંતિક ભક્ત કહેવાય, અનન્ય ભક્ત કહેવાય. (મ. ૬૫)