Daily Darshan 2
જો સવાસનિક ભગવાનના ભક્ત હશો તો પણ ઘણું થાશે તો દેવતા થવું પડશે ને દેવતામાંથી પડશો તો મનુષ્ય થાશો ને મનુષ્ય થઈને વળી પાછી ભગવાનની ભક્તિ કરીને ને નિર્વાસનિક થઈને અંતે ભગવાનના ધામને પામશો પણ વિમુખ જીવની પેઠે નરક ચોરાશીને નહિ ભોગવો, એવું જાણીને ભગવાનનો ભક્ત હોય તેણે વાસનાનું બળ દેખીને હિંમત હારવી નહિ ને આનંદમાં ભગવાનનું ભજન કર્યા કરવું અને વાસના ટાળ્યાના ઉપાયમાં રહેવું અને ભગવાન ને ભગવાનના સંતના વચનમાં દૃઢ વિશ્વાસ રાખવો. (સા. ૪)