Daily Darshan 2
વર્ણાશ્રમના ધર્મ તેને પાળતો હોય ત્યારે તેને સર્વે લોક ધર્મવાળો જાણે, પણ ભગવાન ને ભગવાનના સાધુ તેને જો દ્રોહ કરતો હોય તો તે સત્પુરુષના દ્રોહનું એવું પાપ લાગે છે જે વર્ણાશ્રમના ધર્મ પાળ્યાનું જે પુણ્ય તેને બાળીને ભસ્મ કરી નાખે છે, માટે સત્પુરુષના દ્રોહનો કરનારો તે તો પંચ મહાપાપનો કરનારો તેથી વધુ પાપી છે, શા માટે જે પંચ મહાપાપ કર્યાં હોય તે તો સત્પુરુષને આશરે જઈને છુટાય છે, પણ સત્પુરુષનો દ્રોહ કરે તેને તો કોઈ ઠેકાણે છૂટ્યાનો ઉપાય નથી. (વ. ૧૪)